મુખ્ય સામગ્રી પર જાઓ

વૈશ્વિક મહામારીમાં ભારતની મજબુત લડત..

      આમ તો ડોનાલ્ડ ટ્રંપ દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ કહેવાય, આખી દુનિયાને પોતાની આંગળી પર નચવી શકે એટલો પાવર એ માણસ ધરાવે છે પણ કોરોના વાઇરસના સંક્રમણ સામે લડવામાં આ નેતા વામણો પુરવાર થયો છે. અમેરીકામાં હાલમાં 55000 લોકો કોરોના વાઇરસથી સંક્રમિત છે, દીન-પ્રતિદિન આ આંકડો કુદકે- ભુસકે વધી રહ્યો છે. આમ છતાં ડોનાલ્ડ ટ્રંપ જેવો શક્તિશાળી નેતા પોતાના 33 કરોડની વસ્તીવાળા દેશને લોકડાઉન કરવાની હિંમત દાખવી શક્યો નથી. એને ચિંતા છે પોતાના દેશની ઇકોનોમીની. પોતાના દેશનાં નાગરિકોના મોતના ઢગલા ભલે થતાં પણ દેશનું અર્થતંત્ર બગાડવું નથી. આ છે એક પોતાને મહાન નેતા ગણાવાની ઘેલછા ધરાવતો રાષ્ટ્રપતિ.
            બીજી તરફ દેશમાં ફક્ત 400 કોરોના સંકમિતો થતાં 133 કરોડની મહાકાય વસ્તીને લોકડાઉન કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો. આખી દુનિયા અચંબિત છે કે સાપ અને મદારીઓનો આ દેશ આવો નિર્ણય કઇ રીતે લઇ શકે. આ કંઇ નાનો-સુનો નિર્ણય નથી. એક રીતે આ 21 દિવસની સંપુર્ણ જવાબદારી સરકારે પોતાના માથે લઇ લીધી છે. દેશમાં અનાજ, દવાથી લઇ બધી જ મુળભૂત જરૂરીયાતોનો પુરવઠો સરકારે જોવાનો છે. વિકસિત દેશો અને નાની વસ્તી વાળા દેશોની સરકાર પણ આવા નિર્ણયો નથી લઇ શકી કેમ કે આવા સાહસી નિર્ણયો લેવા માટે છાતી જોઇએ. ચીન, ઇટલી, સ્પેન, અમેરિકા બધા જ લગભગ ઘુંટણિયે છે. આ એ બધા દેશો છે જેની મેડીકલ સુવિધાઓ ભારત કરતા હજારો-લાખો ઘણી આધુનિક છે. આમ છતાં તેઓ હાર માની ચુક્યા છે. 
          એવા સમયે દરેક દેશવાસી પોતાની જાતને એટલા નસીબનાં ધની માનજો કે વિશ્વની આ સૌથી મોટી મહામારી ના સમયમાં દેશમાં નરેન્દ્ર મોદી જેવા મક્કમ મનોબળ વાળા નેતા તમારા પ્રધાનમંત્રી છે. કોઇ પણ આછુકલા નેતા જો આ સમયે ભારતની બાગડોળ સાચવતા હોત તો આપણી પેઢીઓ ખલાસ થઇ જાય એમાં કોઇ શંકાને સ્થાન નથી. બધા સરકારના આદેશોનું પાલન કરીએ અને દેશનાં હિતને નજર સમક્ષ રાખી એક જવાબદાર નાગરિક તરીકે માત્ર ઘરમાં રહીને દેશ પ્રત્યેનું રુણ અદા કરીએ અને ભારતે વિશ્વગુરુ બનતાં જોવાના સાક્ષી બનીએ..  

નેવિલ દેસાઇના જય હીંદ 👏

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

માંડવી નગરનો આ ઇતિહાસ જાણી તમે ચોકી જશો.

આમ તો ગુજરાતમાં બે માંડવી આવેલા છે, જે પૈકી એક માંડવી સાગરના કિનારે જયારે બીજું એટલે કે આપણું માંડવી કે જે માઁ તાપીના રમણીય તટે આવેલું છે. તાપી નદી નું ઉદ્દગામ સ્થાન મધ્યપ્રદેશનાં સાતપુડા પર્વતમાં આવેલું છે ત્યાંથી મધ્યપ્રદેશ અને મહારાષ્ટમાંથી પસાર થઇ ત્યારબાદ ગુજરાત થઇ અરબ સાગરમાં ભળે છે. Boat કંપનીના વાયરલેસ ઈયરફોન ડિસ્કાઉન્ટ થી મેળવવા નીચે આપેલ લીંક ઉપર કલીક કરો.. https://www.amazon.in/gp/product/B09N3ZNHTY/ref=as_li_tl?ie=UTF8&camp=3638&creative=24630&creativeASIN=B09N3ZNHTY&linkCode=as2&tag=hayzelstore-21&linkId=7ec317bc2a9845ceac577c70441a7d9e તમે જોશો તો ચોમાસાની ઋતુ બાદ કરતા તાપી નદી ભાગ્યે જ બને કાંઠે વહેતી જોવા મળશે. વાળી રામેશ્વર તીર્થંક્ષેત્ર તરફ તો નાનકડું નાળું વહેતુ હોય તેટલો જ પ્રવાહ સામાન્ય રીતે જોવા મળે છે જયારે દત્ત મંદિર પછી કડોદ તરફ જતા પણ પથરા જ જોવા મળે છે, પણ આમ છતાં માંડવી નગરમાં જુના તૂટેલા પુલ થી લઇ દત્ત મંદિર સુધી બારેમાસ પાણી ખળખળ વહેતુ હોય છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ આટલો વિસ્તારમાં ક્યારેય પાણી ઓછું થતા કોઈએ જોયું નહિ હોય તો આનું ...

જો તમારી પાસે કાર છે તો ઉનાળામાં ભૂલથી પણ ના કરશો આ કામ.

જો આપ એક કાર ના માલિક છો અને તમારી પાસે પોતાનું પાર્કિંગ નથી કે જેમાં તમે પોતાની કાર ને તડકાંથી બચાવી શકો તો આ વાત જાણી લો. ઉનાળામાં જયારે 40 ડિગ્રી એ તાપમાન પહોંચે છે ત્યારે શક્ય છે કે તડકામાં ઉભી તમારી કારની અંદરનું તાપમાન 60 થી 70 ડિગ્રી સુધી પહોંચી જાય. હવે જયારે આપ આવી ગરમ કારમાં આપના પરિવાર સાથે બેસો તો કારની અંદરના પ્લાસ્ટિક વાળી ગરમ હવા તમારા ફેફસાને ઘણું નુકશાન પહોંચાડે અને વારંવાર આવું થવાના સંજોગોમાં ફેફસાનુ કેન્સર સુધી પણ નુકશાન થઇ શકે. તો આના થી બચવાં શુ કરવું? જયારે પણ ગરમીમાં બહાર પ્રવાસ કરવાનું થાય ત્યારે જવાના 10-15 મિનિટ પહેલા ગાડીના બધા કાચ ખોલી નાખી ગરમ હવા બહાર નીકળી જવા દેવી, શક્ય હોય તો ગાડી ચાલુ કરી એસી ચાલુ કરી કાચ અને દરવાજા ખુલ્લા કરી 5 મિનિટ રાખવું જેથી ફેફસાને નુકશાન કરતી હવા બહાર નીકળી જાય. એવા સંજોગોમાં કે જયારે તાત્કાલિક જવુ જ પડે એમ હોય અને 10 મિનિટનો પણ સમય ના હોય તો ગાડીના બધા કાચ ખુલ્લા કરી દઈ 8-10 કિલોમીટર સુધી પ્રવાસ કર્યા બાદ જ કાચ બંધ કરવાનો આગ્રહ રાખવો. હાલમાં થયેલા એક સર્વે મુજબ સફેદ કલરની ગાડી આવા સંજોગોમાં અન્ય કલરની ગાડીઓ કરતા ઓછી ગરમ થા...

કેવી રીતે પડ્યું "માંડવી" નામ, જાણો ઐતિહાસિક લોકવાયકાઓ.

માંડવી નગર એ પ્રાચીન માંડવી રાજ્યની રાજધાની હતું, ઘણા રાજધાનીના નગરો કાળક્રમે નાશ પામ્યા પણ માંડવી નગર આજે પણ ઐતિહાસિક તથ્યોને પાતાળમાં ધરબીને અડીખમ છે. Buy Smartwatch on Discount.. Click on Link https://www.amazon.in/dp/B0877MB5HN/ref=cm_sw_r_as_gl_apa_gl_i_dl_ZGYW57AWTA076KSGMQMM?linkCode=ml2&tag=hayzelstore-21 આપણું માંડવી જ્યાં આવેલું છે ત્યાં રાજા-રજવાડાના સમયે જંગલો હતા જેમાં છૂટી-છવાઈ વસ્તી પણ વસવાટ કરતી. રાજ્યની શરૂઆતમાં રાજ્યની રાજધાની પીપલવાડા ગામે હતી. પીપલવાડાનાં રાજવંશના રાજાના સૈન્યનાં ઘોડાઓ પહેલાના સમયમાં ચરતા ચરતા માંડવી આવી જતા, આ જોઈ રાજા ને રાજધાની માંડવી ખસેડવાનો વિચાર આવ્યો. રાજધાની ખસેડવા પહેલા માંડવા બાંધી ને પીપળવાડા રાજ્યના લોકો ને વસવાટ કરાવ્યો. આ માંડવાઓ પરથી માંડવી નામ પડ્યું હોવાનું જણાવાયું છે. અન્ય એક મત મુજબ પીપળવાડા રાજ્યના કર્મચારીઓ ઘોડાની દેખરેખ માટે મંડપ બાંધી ને રહેતા, વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે સાત ઘોડાનું ચિત્ર ઘરમાં રાખવાથી નસીબ પણ ઘોડાની જેમ દોડે છે.  નીચેની લીંક પરથી ઓર્ડર કરી ડિસ્કાઉન્ટ મેળવો, અને આજે જ ઘરમાં લગાવો.. https://www.amazon.in/...